ગુજરાતગુજરાત

ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ યાત્રા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

  1. તા. ૧૨-૧-૨૫ ને રવિવાર જસદણ શહેર અને તા. ૧૩-૧-૨૫ ને સોમવારનાં રોજ જસદણ તાલુકાના લીલાપુર ગ્રામપંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ યાત્રા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના મહામંત્રી એડવોકેટ મહેશભાઈ વાણિયા દ્વારા વિસ્તૃત વક્તવ્ય આપીને જણાવેલ કે ભારતનાં સંવિધાન પ્રણેતા ડો. બાબા સાહેબ આંબેડકરજીના સંઘર્ષ રૂપી જીવન ચરિત્ર અને છતાંય દરેક ભારતીય નાગરિકોનેં એકતા, સમાનતા બંધુતા હક અધિકાર અને ભાઈચારાની સંવિધાન રૂપી દસ્તાવેજ આપવામાં આવ્યો અને ખાસ કરીને આ પાર્ટી દ્વારા તેમનું વિશેષ મુલ્ય અને દરજ્જો આપવામાં આવ્યો અને આગળ નાં તેમના દરેક કાર્યકમોનીં વિષેશ માહિતગાર કરીને તેમના દરેક કાર્યકમોનીં નોંધ સુદ્ધા લઈને કરવા તેવી માહિતી મહેશભાઈ વાણિયા દ્વારા આપવામાં આવી, આ તકે જસદણ તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખશ્રી ચંકિતભાઈ રામાણી, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રીશ્રી વલ્લભભાઈ રામાણી, ભાજપ આગેવાનશ્રી ગોવિંદભાઇ તથા જસદણ તાલુકા શહેર મંડલના આગેવાનો ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહીને બંધારણ સંવિધાન ગૌરવ યાત્રાના કાર્યક્રમને જય ભીમ, જય સંવિધાન ના નારા સાથે સફળ બનાવ્યો..વંદેમાતરમ.. ભારત માતા કી જય..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!