ગુજરાત

નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો – 10 નો શુભેચ્છા અને ધો – 12 નો વિદાય સમારંભ યોજાયો

નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો - 10 નો શુભેચ્છા અને ધો - 12 નો વિદાય સમારંભ યોજાયો

નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો – 10 નો શુભેચ્છા અને ધો – 12 નો વિદાય સમારંભ યોજાયો.

સાણંદ, કાણેટી રોડ પર આવેલી નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં SSC અને HSC ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા તથા વિદાય કાર્યક્રમ યોજાયો.
જેમાં રાધાકૃષ્ણ મંદિર ભાડજના પાદ પદ્મપ્રભુ ઉપસ્થિત રહી આશીર્વચન આપી બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. શાળાના પ્રધાનાચાર્ય ડૉ. મનીષ દેત્રોજાએ સ્વાગત પ્રવચન કરી પરીક્ષા એક ઉત્સવ છે તેમ બાળકોને માર્ગદર્શન આપી શુભેચ્છા પાઠવી હતી. બાળકોએ તેમજ અભિભાવકોએ શાળા વિશે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. શાળા દ્વારા પ્રિલીમ પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબર વિજેતાઓને અતિથિ અને શિક્ષકો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તેમજ રાધાકૃષ્ણ મંદિર તરફથી દરેક બાળકોને ભગવદ્દ ગીતા ભેટ આપવામાં આવી. સાથે સાથે સુ. શ્રી જયશ્રીબેન દેસાઈએ બાળકોને પરીક્ષાલક્ષી કિટ આપી શુભેચ્છા પાઠવી હતી. ધો – 9 ની વિદ્યાર્થીઓનીએ વિદાય ગીતની પ્રસ્તુતિ કરી હતી. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલાએ તમામ બાળકોને પરીક્ષાની શુભકામનાઓ આપી હતી. કાર્યક્રમનું આયોજન રાજશ્રીબા તેમજ સંચાલન ભૂમિબા અને હેનીલે કર્યું હતું. અંતમાં બાળકો માટે આ યાદગાર ક્ષણ હતી. શાળા પરિવારે સર્વે બાળકોને પરીક્ષાની શુભકામનાઓ પાઠવી હતી.

 

રિપોર્ટર . ચિરાગ પટેલ

સાણંદ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!